PM Nutrition Scheme Recruitment: ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી નોકરીની માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. પી.એમ. પોષણ યોજના દ્વારા તાજેતરમાં નવી ભરતી માટે ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે યોગ્ય અને લાયક ઉમેદવારોઓની અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ભરતી ની પ્રક્રિયામાં યોગ્ય પગારધોરણ, સ્પષ્ટ પસંદગી ના માપદંડ અને જરૂરી શૈક્ષણિક લાયકાતની માહિતી પણ જાહેર કરવામાં આવી છે. અમે આ ભરતીમાં કયા પદો માટે છે, કેટલી જગ્યા ખાલી છે, અને અરજી કરવાની સંપૂર્ણ રીત શું છે – તેથી સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં જણાવીશુ તેથી ધ્યાન પુર્વક લેખ વાંચવો .
મહત્વની તારીખ
પી.એમ. પોષણ યોજના ભરતી માટેની અરજી પ્રક્રિયા 31 ઓક્ટોબર 2025થી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 08 નવેમ્બર 2025 રહેશે. આ સમયગાળા દરમિયાન ઉમેદવારો ઓફલાઇન માધ્યમથી પોતાની અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી અંતિમ ક્ષણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમની અરજી સફળતાપૂર્વક સ્વીકારવામાં આવે..
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી અંતર્ગત પી.એમ. પોષણ યોજના માં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર,તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર (પી.એમ. પોષણ યોજના) ના પદ માટે લાયક અને અનુભવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કુલ 05 ખાલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરનામું વિગતવાર વાંચે,
પગાર ધોરણ
પી.એમ. પોષણ યોજના ની ભરતી માટે પગાર ધોરણ પદો પ્રમાણે મળશે, જેમાં શરૂઆતનો પગાર ₹18,000 થી ₹25,000/ સુધી મળશે. આ ભરતીવિવિધ પદો ના આધારિત રહેશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી અનેક તબક્કાઓ દ્વારા કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં મુખ્યત્વે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવો અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનને આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે. લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જ્યાં તેમની કુશળતા, તકનિકી જ્ઞાન અને પદ માટેની યોગ્યતા ની ચકાસણી કરવામાં આવશે.
વય મર્યાદા
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 થી 58 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પાસે માન્યિત યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં સ્નાતક (Graduate) ડિગ્રી હોવી આવશ્યક છે. સાથે જ ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રનો અનુભવ અથવા તકનિકી જ્ઞાન હશે તો તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. લાયકાત સંબંધિત વિગતવાર માહિતી અને પદ માટે જરૂરી વિશિષ્ટ શૈક્ષણિક માપદંડો સત્તાવાર જાહેરાતમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.
- માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતક
- સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ
- માન્ય યુનિવર્સિટીમાંથી MCA ડિગ્રી ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
- માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રીશન / સાયન્સમાં સ્નાતક
- કમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન ફરજિયાત
અરજી ફી
પી.એમ. પોષણ યોજના દ્વારા જાહેર થયેલી આ ભરતીની માહિતીમાં જણાવાયું છે કે જનરલ વર્ગ અને અન્ય વર્ગ માટે ફી માફ છે.
અરજી પ્રક્રિયા
પી.એમ. પોષણ યોજના ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઑફલાઇન માધ્યમથી જ હાથ ધરવામાં આવશે. ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજોની સચ્ચોટ નકલો જોડીને નીચે આપેલા સરનામે મોકલવાની રહેશે —
પી.એમ. પોષણ યોજના (મ.ભો.યો.) કચેરી, કલેક્ટર કચેરી, વલસાડ.
અરજી કરવા માટેની લિંક
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| mahitiplus.com જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી પી.એમ. પોષણ યોજના ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.